કેમ્પોમાં પસંદ થયેલ ખેલાડીઓની કારકિર્દી ઘડવા રાજય સરકાર પ્રયત્નશીલ
-શ્રી નિતિનભાઇ પટેલ
રાજકોટ ખાતે અંદાજિત ૬.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર
સિન્થેટિક એથ્લેટિક ટ્રેક તથા ટેનિસ કોર્ટનું ખાતમુહુર્ત સંપન્ન
એથ્લેટ પદ્મશ્રી અર્જુન એવોર્ડ વિજેતા શ્રી પી.ટી. ઉષાની ઉપસ્થિતિમાં થયેલું તક્તિનું અનાવરણ
રાજકોટતા. ૯ નવેમ્બર- ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે યુવા ખેલાડીઓને પસંદ કરવા અને તેમની ઉત્તમ કારકિર્દી ઘડવા રાજય સરકાર પ્રયત્નશીલ છે. ખેલાડીઓ માટે જે ખુટે છે તે પૂર્ણ કરવાનું કામ રાજય સરકારે ઉપાડયું છે. આ માટે શ્રી પી.ટી. ઉષા જેવા અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીને આમંત્રણ પાઠવી પસંદગી પ્રક્રિયામાં જોડવામાં આવ્યા છે. તેમણે ઉત્તમ ખેલાડીઓ તૈયાર થાય તેવા પ્રકારનું ગ્રાઉન્ડ નિર્માણ કરવા બદલ રાજકોટ કોર્પોરેશનને અભિનંદન પાઠવ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજિત રૂ.૬.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક તથા ટેનિસ કોર્ટનું ખાતમુહુર્ત તથા તકતિનું અનાવરણ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે શ્રી પી.ટી. ઉષાની વિશેષ ઉપસ્થિતિમાં કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ આ ગ્રાઉન્ડ તૈયાર થતાં રાજકોટનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લેવાશે તેમ જણાવી કોર્પોરેશન દ્વારા ખેલાડીઓ માટે ઉભી કરાયેલ સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પસંદગી મેળામા ઉપસ્થિત ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમાના પ્રારંભે ડેપ્યુટી મેયરશ્રી ઉદયભાઇ કાન્ગડએ સ્વાગત પ્રવચનમાં યોજનાકિય રૂપરેખા આપી રજુ કરી હતી.
આ પ્રસંગે કૃષિરાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા, અતિથિવિશેષ શ્રી પી.ટી. ઉષા, પૂર્વ મેયરશ્રી ધનસુખભાઇ ભંડેરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, વિપક્ષી નેતાશ્રી ગાયત્રીબા વાઘેલા, ભાજપ અગ્રણીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ તથા બહોળા પ્રમાણમાં ખેલાડી ભાઇ બહેનો ઉપસ્થિત રહયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત રેસકોર્ષ ખાતે હયાત માટીના એથ્લેટિક ટ્રેકની જગ્યાએ આધુનિક સિન્થેટિક એથ્લેટીક ટ્રેક બનાવાશે. જેમાં શાળાના બાળકો, રમત ગમતના ખેલાડીઓ તથા શહેરીજનોને આધુનિક કક્ષાનું રમત ગમત મેદાન મળશે. ઉપરાંત ખેલાડીઓને પ્રેકટીસ માટે યોગ્ય વાતાવરણ અને શહેરી નાગરીકોને જોગીંગ/ વોકીંગ કરવાની આધુનિક સુવિધા પ્રાપ્ત થશે.
રામાનુજ/ડેલા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Image may be NSFW.
Clik here to view.
ગુજરાત માહિતી બ્યુરો
Clik here to view.

ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્બર ૨૦૧૪ સ.સં.૧૪૨૧
જેતપુરમાં હસ્તકલા કુટિર મેળો
રાજકોટતા. ૯ નવેમ્બર- સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના કુટિર અને ગ્રામોદ્યોગ ખાતાના ઇન્ડેક્ષ- સી દ્વારા રાજયના હાથશાળ, હસ્તકલા અને કુટિર ઉદ્યોગના કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજયમાં તથા રાજય બહાર પ્રદર્શન - સહ વેચાણના કુટિર મેળાનું આયોજન કરવામાં આવે છે. કારીગરોના સામાજિક અને આર્થિક વિકાસ માટે બજાર વ્યવસ્થા પુરી પાડી સતત રોજગારી મળી રહે તે માટે કુટિર મેળાનું આયોજન કરવામાં આવે છે.
ઇન્ડેક્ષ- સી દ્વારા તા.૮/૧૧/૨૦૧૪ થી તા.૧૩/૧૧/૨૦૧૪ દરમિયાન જીમખાના ગ્રાઉન્ડ, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જેતપુર ખાતે કુટિર મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાથશાળ, હસ્તકલા, ચર્મોદ્યોગ, માટીકામ, ભરતકામ, ઇમીટેશન, જ્વેલરી, મોતીકામ, શંખની આઇટમો જેવી વિવિધ કલાકારીગરીના કારીગરો દ્વારા ભાગ લેવામાં આવેલ છે અને બાવન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દાહોદ, આણંદ, અમરેલી, સુરત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લાના કારીગરો દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન- સહ વેચાણ કરવામાં આવશે. જેતપુરની કલાપારખુ પ્રજા હાથશાળ, હસ્તકલા અને કુટિર ઉદ્યોગની કુટીર મેળામાંથી ખરીદી કરી કારીગરોને પ્રોત્સાહિત કરવા ઇન્ડેક્ષ- સીના કાર્યવાહક નિયામકશ્રી સી.જે. પટેલ તથા સિનીયર ઓફીસર(પીપી)શ્રી આર.એસ. ગજ્જરની સંયુકત યાદીમાં જણાવાયું છે.
પારેડી/ડેલા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Image may be NSFW.
Clik here to view.
ગુજરાત માહિતી બ્યુરો
Clik here to view.

ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્બર ૨૦૧૪ સ.સં.૧૪૨૨
રોગ નિવારણ માટે ગ્રામ્ય સ્તર સુધી આયુર્વેદ ચિકિત્સા –ઔષધિઓનો વ્યાપ વિસ્તારવા રાજય સરકાર પ્રતિબધ્ધઃ મુખ્યમંત્રીશ્રી
રાજકોટમાં રૂપિયા ર કરોડ ૪૪ લાખના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલનું પ્રજાપર્ણ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલ
પ્રાચીન આયુર્વેદ ચિકિત્સાનો અણિશુધ્ધ વિનિયોગ ૨૧મી સદીના
આરોગ્યપ્રદ તંદુરસ્ત જીવન શૈલીનું નિર્માણ કરશે- શ્રીમતિ આનંદીબેન પટેલ
રાજકોટતા. ૯ નવેમ્બર- મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે પ્રાચિન ઋષિ- મુનિઓ અને વૈદક શાસ્ત્રો દ્વારા સંવર્ધિત થયેલી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિનો અણિશુધ્ધ વિનિયોગ વર્તમાન આયુર્વેદ અભ્યાસ ક્ષેત્રમાં કરવાનું પ્રેરક સુચન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આયુર્વેદ ચિકિત્સા અને ઔષધિઓ રાજયમાં ગ્રામીણ ક્ષેત્ર સુધી પહોંચાડવા માટેના રાજય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
આ સંદર્ભમાં તેમણે આપણા શાસ્ત્રોમાં વર્ણવાયેલી આહાર- વિહાર અને ખાન- પાન પરંપરાને અનુસરી સ્વાસ્થ્ય- સુખાકારી અને નિરામય જીવન જીવી શકાય તેની આવશ્યકતા સમયની માંગ છે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં નવનિર્મિત સરકારી આયુર્વેદીક હોસ્પીટલનું આજે પ્રજાપર્ણ કર્યું હતું. આ આયુર્વેદીક હોસ્પિટલ રાજકોટ અને મોરબીના ૧૬ તાલુકાઓના ૧૦૦૦ ગામોના નાગરિક- ગ્રામજનો માટે આયુર્વેદિક સારવાર અને ચિકિત્સા પુરી પાડશે.
આ હોસ્પિટલનું રૂ.૨ કરોડ ૪૪ લાખના ખર્ચે ૨૪૪૯ ચો.મી.માં નિર્માણ થયું છે. ૫૦ પથારી અને ૧૦ વિશેષ રૂમની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ આરોગ્ય સેવા- સુરક્ષાનું છત્ર આપનારી બનશે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર ત્રણ વૈદ્યનું સન્માન પણ કર્યું હતું.
પાના નં.૨
સ.સં.૧૪૨૨ મુખ્યમંત્રીશ્રી . . . . . . . .. પાના નં.૨
શ્રીમતી આનંદીબહેન પટેલે રાજયમાં આરોગ્ય સુખાકારી- સુવિધા માટે રુગ્ણાલયો- હોસ્પિટલો વચ્ચે જન આરોગ્ય સેવા પ્રવૃતિઓની તંદુરસ્ત સ્પર્ધા માટેની નેમ દર્શાવી હતી.
તેમણે આરોગ્યપ્રદ સુટેવો કેળવીને બાળકોને કુપોષણ મુકિત- દીર્ઘાયુને નિરામય જીવન માટે જનજાગૃતિ કેળવવા પણ આ તબકકે અનુરોધ કર્યો હતો.
તેમણે દિકરીઓમાં લોહતત્વની ઉણપ દૂર કરવાથી લઇને સગર્ભા-ધાત્રી માતાઓ, બાળકોની આરોગ્ય સુરક્ષા માટે સેવાભાવી તબીબો- વૈદ્યકર્મીઓ અને સમાજ જનસહયોગ આપે અને સક્ષમ સબળ ૨૧મી સદીનું નિર્માણ કરે તેવી હાર્દ ભરી અપીલ કરી હતી. આરોગ્ય સેવામાં કાર્યરત તબીબોને આ દાયીત્વ નિભાવવાનો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આરોગ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે રાજકોટ શહેરની ૫૦ વર્ષની આવા આયુર્વેદ રુગ્ણાલયની માંગ ગતિશીલ ગુજરાતના નેતૃત્વ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલના માર્ગદર્શનમાં સંતોષાઇ તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
તેમણે એલોપથીના વ્યાપ સાથે આયુર્વેદની પ્રાચિન ઔષધિય પરંપરા પણ આજના યુગમાં એટલી સ્વીકૃત છે, તેને વધુ પ્રેરિત કરવા ગુજરાતમાં આયુર્વેદ કોલેજ, યુનિવર્સિટી અને આદિજાતિ ક્ષેત્રોમાં રુગ્ણાલયો શરૂ કરવામાં આવ્યા છે તેની વિસ્તૃત સમજ આપી હતી.
આરોગ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આરોગ્ય સેવા- સુરક્ષા ક્ષેત્રે પ્રજા કલ્યાણ માટે માતબર બજેટ ફાળવીને સ્વસ્થ, નીરોગી- નિરામય સમાજ જીવન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
વન પર્યાવરણ રાજયમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે આરોગ્ય સુખાકારી માટે નાગરિકોની સેવામાં આ આયુર્વેદ હોસ્પિટલ એક નવું ઉમેરણ બની છે. તે માટે આરોગ્ય તંત્ર અને મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજન માટે આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયા, મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયા, ધારાસભ્ય સર્વશ્રી ભાનુબેન બાબરિયા, શ્રી બાવનજીભાઇ મેતલીયા, ઇન્દ્રનીલભાઇ રાજયગૂરૂ, શહેર ભાજપ પ્રમુખશ્રી ભીખાભાઇ વસોયા સહિત અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહયા હતાં.
પ્રારંભમાં આયુર્વેદ નિયામક ડો. કંદર્પ દેસાઇએ સૌને આવકાર્યા હતાં અને આયુર્વેદ હોપિટલ તથા રાજયના આયુર્વેદ ક્ષેત્રની સિધ્ધિઓ વર્ણવી હતી. આભાર દર્શન ડો. જયેશ પરમારે કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Image may be NSFW.
Clik here to view.
ગુજરાત માહિતી બ્યુરો
Clik here to view.

ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્બર ૨૦૧૪ સ.સં.૧૪૨૩
રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ વિશ્વના કૃષિ બજારો સાથે સ્પર્ધા કરવા આધુનિક ટેકનોલોજીથી સજ્જ થાય : -મુખ્યમંત્રીશ્રીનું આહવાન
રાજકોટમાં ર૭ર કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડનું લોકાર્પણ કરતા શ્રીમતી આનંદી બહેન પટેલ
મુખ્યમંત્રીશ્રી:-
· ભૂતકાળની સરકારોએ ૬૦-૬૦ વર્ષ સુધી ખેડૂતને કુદરતને ભરોસે છોડી ખેતી અને ખેડૂતની ઉપેક્ષા કરી : આપણે કૃષિને આધુનિકતાનો નવો ઓપ આપી કિસાન હિતકારી રાજયસાશન આપ્યુ છે
· કૃષિ મહોત્સવ અને આધુનિક કૃષિ વિજ્ઞાન વિનિયોગની ફલશ્રૃતિએ
ગુજરાત કૃષિ વિકાસમાં ડબલ ડીઝિટ પાર કરી ગયું
રાજકોટતા. ૯ નવેમ્બર- મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ APMCને વિશ્વના કૃષિ બજારો સાથે સ્પર્ધા કરી શકે તેવા આધુનિક સંશાધનો-કોમ્પ્યુટર-લેબ ટેકનોલોજીથી સજ્જ થવા આહવાન કર્યુ હતું.
ગુજરાતે કૃષિ મહોત્સવોની સફળતાની પરિપાટીએ વિપુલ કૃષિ ઉત્પાદનો મેળવીને કૃષિ વિકાસ સાધ્યો છે ત્યારે એ ઉત્પાદનોને વ્યાપક સંગ્રહ ક્ષમતા અને બજાર વ્યવસ્થા માટે આ સવલત ઉપકારક નિવડશે, તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
શ્રીમતી આનંદીબહેને આજે રાજકોટ નજીક બેડીમાં રૂ.૨૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડનું ઉદઘાટન કર્યુ હતું.
પાના નં.૨
સ.સં.૧૪૨૩ મુખ્યમંત્રીશ્રી . . . . . . . .. પાના નં.૨
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યુ કે ભૂતકાળમાં ખેડૂતોને કુદરતના ભરોસે છોડી દઇને કૃષિ ક્ષેત્રની ઉપેક્ષા ભૂતકાળના કોંગ્રેસના શાસકોએ ૬૦-૬૦ વર્ષો સુધી કરી હતી તેનો આપણે અંત લાવીને કૃષિને આધુનિકતાનો નવો ઓપ આપ્યો છે તે જ કિસાન હિતકારી રાજય શાસનની સાચી દિશા છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે, યોગ્ય બજાર વ્યવસ્થા મળે તેમજ ઘેર બેઠા આધુનિક કૃષિ વિજ્ઞાનની જાણકારી મોબાઇલ એપ્સ, સેટેલાઇટ ટેકનોલોજી અને ઇ-પોર્ટલ/આઇ કિસાન પોર્ટલ દ્વારા મળી રહે તેવું કિસાન હિતકારી આયોજન આ સરકારે કર્યુ છે. તેની ફલશ્રૃતિએ કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટ પાર કરી ગયો છે.
રાજકોટનું આ નવિન માર્કેટયાર્ડ આધુનિક સવલતો સાથેનું દેશનું સુવિધાયુકત અગ્રીમ યાર્ડ સૌના સહયોગથી બનવાનું છે તેવો વિશ્વાસ દર્શાવી અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ નવું માર્કેટ યાર્ડ સહકારિતા ક્ષેત્રે ખેડૂતલક્ષી પ્રવૃતિઓનુ ધમધમતું કેન્દ્ર બનશે અને નવી પ્રગતિની ઉંચાઇઓ પાર કરશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં કૃષિ-કલ્યાણ પ્રવૃતિઓ તેમજ ધરતીપુત્રોને પ્રોત્સાહિત કરવા અંદાજપત્રમાં વિશેષ જોગવાઇ સહિત મહિલા પશુપાલકો-ગરીબ ખેડૂતો માટેની યોજનાઓની સમજ આપી હતી.
તેમણે APMCદ્વારા શૌચાલય નિર્માણ માટે મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં રૂ. ૧૧ લાખના ભંડોળના દાન સહાયની પ્રસંશા કરી હતી. આ સહાય જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓ-માતાઓ-બહેનો માટે શૌચાલય નિર્માણનો લક્ષ્યાંક પૂર્ણ કરશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
પ્રવાસનઅનેઉડ્ડયન રાજયમંત્રીશ્રીજયેશભાઇરાદડીયાએરાજકોટના બેડી ખાતે આઅદ્યતનમાર્કેટીંગયાર્ડખુલ્લુમુકાતાખેડુતોઅનેવેપારીઓનેવધારાની સુવિધા પ્રાપ્ત થઇછે. તેનાથીતેઓનેઆવનારા સમયમાં ઘણાજલાભોમળશેતેમજણાવ્યુંહતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયાએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી હરદેવસિંહ જાડેજાએ શાબ્દીક સ્વાગત પ્રવચનમાં યાર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.કાર્યક્રમના સમાપનમાં યાર્ડના શ્રી પરસોતમભાઇ સાવલીયાએ આભાર વિધિ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીનું વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, રાજયમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, મેયરશ્રી રક્ષાબેન બોળીયા, ધારાસભ્ય સર્વશ્રી ભાનુબેન બાબરિયા, જયરાજસિંહ જાડેજા, બાવનજીભાઇ મેતલીયા, બાબુભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. ધવલ પટેલ, અને ખેડૂત સભાસદો વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતાં.
પીઆરોઓ/ભટ્ટ ૦ ૦ ૦
Image may be NSFW.
Clik here to view.
ગુજરાત માહિતી બ્યુરો
Clik here to view.

ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્બર ૨૦૧૪ સ.સં.૧૪૨૪
ગુજરાતના બે સાંસદોની કેન્દ્રીય મંત્રી મંડળમાં વરણી અંગે મુખ્યમંત્રીશ્રીના અભિનંદન
દેશને સુશાસન-વિકાસના માર્ગે લઇ જવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં ગુજરાતને મળેલું પ્રતિનિધિત્વ મહત્વપુર્ણ રહેશેઃ
શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી
રાજકોટ,તા. ૯ નવેમ્બરઃ
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે કેન્દ્ર સરકારના મંત્રી મંડળમાં આજે ગુજરાતના બે સાંસદો શ્રી મોહનભાઇ કુંડારિયા અને શ્રી હરિભાઇ ચૌધરીના થયેલા સમાવેશ અંગે તેમને અભિનંદન પાઠવ્યા છે.
શ્રીમતી આનંદીબહેને વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશને સુશાસન અને વિકાસની જે દિશા મળી છે તેમાં સહયોગ આપવાનુ દાયિત્વ ગુજરાતના આ બે નવનિયુકત મંત્રીઓ સહિત કૂલ ત્રણ સાંસદોને મળ્યુ છે તેનો આનંદ વ્યકત કરતા ગુજરાત ને રાષ્ટ્રની સેવામાં ભૂમિકાની તક આપવા માટે વડા પ્રધાનશ્રીનો પણ આભાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએશ્રીમનસુખભાઇવસાવા, શ્રીહરીભાઇચૌધરીઅનેશ્રીમોહનભાઇકુંડારીયાનેશુભેચ્છાઓપાઠવીહતી.
પીઆરોઓ/ભટ્ટ ૦ ૦ ૦
Image may be NSFW.
Clik here to view.
ગુજરાત માહિતી બ્યુરો
Clik here to view.

ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્બર ૨૦૧૪ સ.સં.૧૪૨૫
પ્રજાના જાનમાલની સુરક્ષાના પ્રહરી એવા પોલીસ કર્મીઓ માટે માળખાકીય સુવિધાની નવતર કાર્યપ્રણાલી વિકસાવાશે : - મુખ્યમંત્રીશ્રી
રાજકોટ શહેરમાં રૂ.૧ .૧૬ કરોડના ખર્ચે બનાવાયેલ પ્રદયુમન નગર પોલીસ સ્ટેશન તેમજ રૂ.૧ .૧૭ કરોડના ખર્ચે બનાવાયેલ પોલીસ તાલીમ કેન્દ્રનુંમુખ્યમંત્રી શ્રીમતી આનંદી બહેન પટેલે લોકાપર્ણ કર્યુ
રાજકોટતા. ૯ નવેમ્બર- મુખ્યમંત્રી શ્રીમતી આનંદી બહેન પટેલે પ્રજાના જાનમાલની રક્ષા –સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણીના સંવાહક પોલીસ કર્મીઓને માળખાકીય સુવિધાઓ-બહેતર કાર્ય પ્રણાલી પુરી પાડવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
પોલીસદળ સહિત સરકારમાં સેવારત કર્મયોગીઓ પ્રજા કલ્યાણ અને નાગરીક સેવાના કામો સુપેરે તનાવમુકત વાતાવરણમાં રહીને કરી શકે તે માટે અધતન સુવિધા સજજ ભવનો- સરકારી કચેરીઓને સેવા સદનનો નવો ઓપ આપી નિર્માણ કરાઇ રહયા છે. તેમ મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે રાજકોટ શહેર પોલીસનાપ્રદયુમન નગર પોલીસ સ્ટેશન તથા શહેર પોલીસ વેલ્ફેર સંચાલીત પેટ્રોલપમ્પ અને પોલીસ તાલીમ કેન્દ્રના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્રારા ૮૧૩.૫૧ ચો. મીટર ક્ષેત્રફળમાં બે મંજીલા આ પોલીસ મથક રૂ.૧ .૧૬ કરોડના ખર્ચે માત્ર ૧૩ માસના ટુંકાગાળામાં નિર્માણ કરાયુ છે..
મુખ્યમંત્રી શ્રીમતી આનંદી બહેને પોલીસ મથકનું તથા તેમાંની આધુનિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતા જણાવ્યુ હતુ કે, પોલીસદળના જવાનો કર્મયોગીઓમાં કાર્યપ્રેરણા જગાવનારા આવા ભવનો પ્રજાને પોલીસ તેમના માટે અને તેમની સાથે છે. તેવો સતત અહેસાસ કરાવનારા કેન્દ્રો બને તેવી સરકારની નેમ છે. પ્રજાને રંજાડનારા તત્વોને નશ્યત કરવા પોલીસદળનું મનોબળ આવા ભવનો વધારશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, મેયર શ્રીમતિ રક્ષાબહેન બોળીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસા બહેન પારેઘી, ધારાસભ્ય શ્રીમતી ભાનુબહેન બાબરીયા, પોલીસ આવાસ નિગમના એમ.ડી. ગીથા જોહરી, પોલીસ કમિશ્નર શ્રી મોહન ઝા, સંયુકત પોલીસ કમિશનરશ્રી કે.એલ.એન. રાવ, નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોજ નિનામા, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એ. એલ ચૌધરી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
પારેડી/ડેલા ૦ ૦ ૦ ૦ ૦
Image may be NSFW.
Clik here to view.
ગુજરાત માહિતી બ્યુરો
Clik here to view.

ગુજરાત સરકાર, રાજકોટ
Web site : www.gujaratinformation.net
તા. ૯ નવેમ્બર ૨૦૧૪ સ.સં.૧૪૨૬
ગુજરાતસરકારની ગરીબોનાઉત્કર્ષમાટેનીપ્રતિબધ્ધતાનેભારતસરકારનુંઅનુમોદન
ભારતસરકારના વીસમૂદાકાર્યક્રમના સનેર૦૧૩-૧૪ના વર્ષનાઆંતરરાજ્ય તુલનાત્મકઅહેવાલમાં ગુજરાતનોપ્રથમક્રમ
ભારતસરકારના ગરીબલક્ષીકાર્યક્રમોમાં ગુજરાતેગૌરવવંતુ પ્રથમસ્થાનમેળવ્યું
તમામ૧૮ બાબતોમાં ૧૦૦ટકાથીવધારે કાર્યસિધ્ધિમેળવનારૂં એકમાત્રગુજરાત
મુખ્યમંત્રીશ્રીએ આ ગૌરવ સિધ્ધી માટે કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા
રાજકોટતા. ૯ નવેમ્બર- ગુજરાતની વર્તમાન સરકારે સમગ્રદેશમાં, કેન્દ્રનાગરીબલક્ષીકાર્યક્રમોનાવીસમૂદાકાર્યક્રમનાઅમલમાંગુજરાતેપ્રથમસ્થાનહાંસલકરવાનોવિક્રમસ્થાપ્યો છે. ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના માર્ચ-૨૦૧૪ અંતિત પ્રગતિ અહેવાલમાં ગુજરાતે કેન્દ્ર સરકારના ધોરણો પ્રમાણે ૧૦૦ ટકાથી અધિક સિધ્ધિ મેળવીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે પ્રતિપાદિત થયું છે.
રાજ્યસરકારનાપ્રવકતામંત્રીશ્રીઓસર્વશ્રીનીતીનભાઇ પટેલ અને શ્રીસૌરભભાઇપટેલેગરીબોનાસર્વાંગીઉત્કર્ષમાટેનાવીસમૂદાકાર્યક્રમનાઅમલમાંસનેર૦૧૩-૧૪નાવર્ષમાંપણ, ગુજરાત, ૧૦૦ટકાસિધ્ધિસાથેપ્રથમગૌરવવંતાક્રમઉપરઆવ્યુંછેતેવાભારતસરકારનાઆંતરરાજ્યતુલનાત્મકક્રમદર્શાવતાપ્રગતિઅહેવાલનીભૂમિકાઆપીહતી.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે સુસાશનની આ કાર્યસિધ્ધી માટે રાજયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા છે.
પ્રવકતામંત્રીશ્રીઓએજણાવ્યુંકેવીસમૂદાનોકાર્યક્રમએકોંગ્રેસનાપૂર્વપ્રધાનમંત્રીશ્રીએસમગ્રદેશમાંદાખલકરેલોછેએટલુંજનહીં, આકાર્યક્રમોનાલક્ષ્યાંકોદરેકરાજ્યમાટેભારતસરકારજનિશ્ચિતકરેછે.પરંતુછેલ્લાકેટલાયવર્ષોથીભારતનાકોંગ્રેસશાસિતરાજ્યોકેસામ્યવાદીશાસનવાળારાજ્યોમાંપણભારતસરકારનાઆગરીબલક્ષીકાર્યક્રમોનાઅમલમાંઉપેક્ષાથતીઆવીછેત્યારે એકમાત્રગુજરાતગરીબલક્ષીતમામકાર્યક્રમોનાઅમલનેપ્રાથમિકતાઆપીનેપ્રથમસ્થાનેજરહ્યુંછે.
પાના નં.૨
સ.સં.૧૪૨૬ . . . . . . . .. પાના નં.૨
તત્કાલિન મુખ્યમંત્રીશ્રીનરેન્દ્રભાઇમોદીનીસરકારનીગરીબોનાકલ્યાણમાટેનીપ્રતિબધ્ધતાને રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ પણ દ્રષ્ટિવંત નેતૃત્વ અને ગતિશીલતા સાથે આગળ ધપાવી રહયા છે.
શ્રીનીતીનભાઇ પટેલેઅનેશ્રીસૌરભભાઇપટેલેવીસમૂદાકાર્યક્રમનાઆંતરરાજ્યસિધ્ધિઓનાતુલનાત્મકઅહેવાલનીવિગતોઆ પ્રમાણે આપી હતી.
જે બાબતોમાં ગુજરાતે સો ટકા કે તેથી અધિક પ્રગતિ કરી છે તેમાં :
ક્રમ | વિષય | લક્ષ્યાંક | સિધ્ધી | પ્રગતિની ટકાવારી |
૧ | સ્વર્ણિમજયંતિ ગ્રામ સ્વરોજગાર યોજનાં કૂલ સહાયિત રોજગારી | ૧,૯૮૯ | ૯૧૦૦ | ૪૫૮ |
૨ | સ્વસહાયિત જુથો હેઠળ આવક ઉભી કરવા માટે હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ | ૩,૬૨૭ | ૩૭૬૨૨ | ૧૦૩૭ |
૩ | ખાદ્ય સુરક્ષા-જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા (AAY) | ૩,૪૦,૦૮૦ | ૩,૫૧,૮૨૦ | ૧૦૩ |
૪ | ખાદ્ય સુરક્ષા-જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા (BPL) | ૫,૫૦,૩૬૮ | ૫,૬૦,૨૮૬ | ૧૦૨ |
૫ | ગ્રામિણ ગુહનિર્માણ-ઇન્દીરા આવાસ યોજના | ૧,૦૭,૮૮૦ | ૧,૦૦,૫૪૦ | ૯૩ |
૬ | આર્થિક રીતે નબળા વર્ગો/ઓછી આવક ધરાવનારાઓ માટે શહેરી વિસ્તારમાં બાંધવામાં આવેલા આવાસો | ૩,૧૦૬ | ૧૨૭૧૪ | ૪૦૯ |
૭ | ગ્રામીણ વિસ્તાર, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ-આવરી લેવાયેલ વસવાટો | ૮૭૫ | ૧૮૧૧ | ૨૦૭ |
૮ | ગ્રામીણ વિસ્તાર, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ-પાણીની ગુણવત્તાથી પ્રભાવિત આવરી લેવાયેલ વસાવટો | ૧૭૫ | ૧૭૪ | ૯૯ |
૯ | અનુ.જાતિના સહાયિત જુથો-અનુ.જાતિ પેટા યોજના હેઠળ અનુ.જાતિના કુટુંબને સહાય અંતર્ગત કરેલ સહાય અને NSFDCની લોન રાહત | ૧૪૧૩૦ | ૮૮૫૩૭ | ૬૨૭ |
પાના નં.૩
સ.સં.૧૪૨૬ . . . . . . . .. પાના નં.૩
૧૦ | પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો લાભ મેળવેલ અનુ.જાતિના વિદ્યાર્થીઓની સંખ્યા | ૧૦૯૧૯૯ | ૧૧૧૧૮૧ | ૧૦૨ |
૧૧ | સંકલિતબાળ વિકાસ સેવા પ્રયાજનો ધટક (આઇસીડીસે) | ૩૩૬ | ૩૩૬ | ૧૦૦ |
૧૨ | આંગણવાડીની અમલવારી | ૫૦૯૯૦ | ૫૨૦૪૩ | ૧૦૨ |
૧૩ | સાત મુદા કાર્યક્રમ શેઠળ આવરી લેવાયેલ ગરીબ કુટુંબોને જમીન, મકાન, પાણી સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને સામાજીક સુરક્ષા | ૪૬૫૯ | ૩૭૬૬૩ | ૮૦૮ |
૧૪ | વનીકરણ-વૃક્ષાવાવેતર હેઠળ આવરી લેવાયેલ વિસ્તાર (જાહેર અને વનવિસ્તાર) | ૧,૨૪,૫૨૦ | ૧,૩૯,૨૮૩ | ૧૧૨ |
૧૫ | વૃક્ષારોપણ હેઠળ રોપાઓનું વાવેતર (જાહેર અને વનવિસ્તાર) | ૮,૦૯,૩૮,૦૦૦ | ૯,૯૫,૮૨,૦૦૦ | ૧૨૩ |
૧૬ | ગ્રામ્ય રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના | ૨૦૦ કી.મી. | ૮૯૯ કી.મી. | ૫૪૦ |
૧૭ | પંપ સેટ વીજળીકરણ | ૪૪૨૫૦ | ૭૪૮૯૫ | ૧૬૯ |
૧૮ | વીજળીનો પુરવઠો | ૮૮૪૯૭ મીલીયન | ૮૮૪૮૮ મીલયન | ૧૦૦ |
તેમણેજણાવ્યુંકેમુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના નેતૃત્વમાંગરીબઅનેવંચિતજનસમૂદાયોનેઉત્કર્ષલક્ષીસુવિધાઓતથાતકોઆપવાનીબાબતોનેરાજ્યસરકારેગતિશીલ ગુજરાતના કાર્ય એજન્ડામાં ટોચપ્રાધાન્યઆપ્યુંછે.તેનાફળદાયીઅમલથી ગુજરાત આગામી વર્ષોમાં પણ ૨૦ મુદ્દા અમલીકરણમાં અગ્રીમ સ્થાને રહેશે.
પીઆરઓ/ભટ્ટ